Read Blog in other languages like - Hindi, English

Friday, 24 February 2023

અચેતન મન તમારો જાદુઈ ચિરાગ

 બુનિયાદ ડેઇલી 23-2-23


અચેતન મન તમારો જાદુઈ ચિરાગ 


કેટલાક માણસો ને જોઈને તમને ક્યારેય એવું લાગ્યું છે કે આ માણસ નું ધાર્યું બધું જ થાય છે ? અને કેટલાક એવા હોય છે જેનું ધાર્યું ક્યારેય ન થાય.  આપણી આસપાસ માં કેટલાય વ્યક્તિઓ ને આપણે મળતા હોઈએ છીએ જેમાંથી કેટલાક હસમુખ , ખુશમિજાજ અને પોઝિટિવ તરંગો વાળા જણાય છે અને એ લોકો પાસે જાણે જાદુઈ ચિરાગ હોય એમ એ જે ઈચ્છે એ બધું જ પાર પડતું હોય છે.  જયારે કેટલાક લોગો સોગિયા લાગે છે જેમને મળવાથી આપણને આનંદ આવતો નથી. અને ઉલ્ટાનું એ લોકો ના પોતાના કામ પણ નથી થતા અને એમની હાજરી થી બીજાના કામ પણ બગડતા હોય છે.  આ બંને બિલકુલ છેડા ના વ્યક્તિ ઓ છે.  આપણે બધા આ બે માંથી જ એક નથી હોતા.  આપણા માં થોડું નેગેટિવ અને થોડું પોઝિટિવ એમ બંને તત્વો રહેલા હોય છે.  

આ પોઝિટિવિટી અને નેગેટિવિટી આપણા મન ની ઉપજ હોય છે.  આપણું મન પણ બે ભાગ માં વહેચાયેલું હોય છે - જાગૃત મન અને અજાગૃત કે અચેતન મન.  મોટાભાગ ના આપણે માત્ર જાગૃત મન ને જ ઓળખાતા હોઈએ છીએ.  આપણા માટે મન એટલે આપણને જે વિચાર આવે છે , જે લાગણી થાય છે એ.  આપણે આપણા કામ કરવા માટે આ આપણા મન ને આદેશ આપીયે છીએ.  એટલે કે મન ને તૈયાર કરીયે છીએ.  હવે ખરી રમત અહીં જ શરૂ થાય છે.  આપણે આપણા અચેતન મન ને જાણતા નથી.  એટલે કે એના અસ્તિત્વ ને જાણતા નથી.  પણ ખરી રીતે કોઈ કાર્ય કરવા માટે આપણે જે પ્લાન નક્કી કરીયે છીએ એ આપણું અચેતન મન રિસીવ કરે છે.  એટલે કે આપણું અચેતન - અજાગૃત મન આપણે આપણા જાગૃત મન ને આપેલા આદેશ થકી આપણો આદેશ મેળવતું રહે છે.  અને પછી એ અચેતન મન તે કાર્ય કરવા માટે આપણા શરીર ને તૈયાર કરે છે સમજો કે આપણા શરીર ના અંગો ને જે તે કાર્ય કરવા માટે આદેશ આપે છે.  આ વાત થી આપણું જાગૃત મન બિલકુલ અજાણ હોય છે.  અને એટલે આપણે પોતે પણ અજાણ જ હોઈએ છીએ.  પણ છતાં કેટલીક ઘટના ઓ બને છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે.  

એક નાનકડું રોજીંદુ ઉદાહરણ આપું જેનો અનુભવ લગભગ બધા એ કર્યો હશે.  આપણે ક્યાંક બહાર જવાનું હોય અથવા વહેલી સવારે કોઈ કામ કરવાનું હોય ત્યારે રાતે સૂતી વખતે મન માં સતત એના વિચારો આવે છે કે સવારે ચાર વાગે ઉઠવાનું છે.  આપણે એના માટે એલાર્મ પણ સેટ કરીયે છીએ અને છતાં એલાર્મ વાગે એની પહેલા આપણે ઉઠી જઇયે છીએ.  રોજબરોજ ના જીવન માં આ બનતું  રહેતું હોય છે અને આપણે એમ સમજીયે છીએ કે આ આપણો અજંપો છે.  ખરેખર એ આપણું અચેતન મન છે જે આપણા મસ્તિષ્ક ને ઉઠવા નો આદેશ આપે છે.   આવી જ રીતે ક્યારેક એવો અનુભવ થયો હશે કે આપણને એવો ડર લાગે કે અમુક સમયે મને તાવ આવી જશે કે શરદી થઇ જશે.  તો ખરેખર તાવ આવી જાય છે.  આપણું જાગૃત મન એવું છે જે દલીલ કરી શકે છે , શંકા કરી શકે છે.  પરંતુ અચેતન મન દલીલ નથી કરતુ.  શંકા પણ નથી કરતુ.  એના માટે નૈતિકતા , નિયમો , ન્યાય એવું કશું જ નથી હોતું. એમ સમજો કે એ એક મિકેનિકલ મશીન છે.  એની સામે જે વાક્ય બોલવામાં આવે છે એને એ આદેશ માની લે છે અને પછી એનો અમલ કરી નાખે છે.  એ કોઈ દલીલ નથી કરતુ કોઈ શંકા નથી ઉઠાવતું.  

જે દલીલ કરે છે , શંકા કરે છે એ આપણું જાગૃત મન છે.  આપણા મન ના વિચારો અને ઈચ્છાઓ બધું જાગૃત મન પાસે થઇ ને અજાગૃત મન સુધી પહોંચે છે.  જે વિચાર ઉપર કંટ્રોલ નથી કરી શકતા એ વિચાર કે એ ઈચ્છા અચેતન મન સુધી પહોંચી જાય છે.  અને વારંવાર એનું સ્મરણ કરવામાં આવે એટલે અચેતન મન ને એનો આદેશ મળી જાય છે.  અને પછી એ અમલ માં મૂકે છે.  

થોડા દિવસો પહેલા પ્રાર્થના ઉપર ના મારા આર્ટિકલ માં મેં આ બાબત નો ઉલ્લેખ કરેલો કે રોજેરોજ ભગવાન ને પ્રાર્થના કરવાથી આપણું અજાગૃત મન ઈશ્વર પ્રત્યે  આશ્વશ્ત થઇ જાય છે.  આજ બાબત બધી જ વસ્તુઓ ને લાગુ પડે છે.  આપણે મન થી જે બાબતો સ્વીકારી લઈએ એ બાબતો ખરેખર બની ને રહે છે.  મોટિવેશનલ સ્પીકરો અને સાઇકિયાટ્રિસ્ટ  પોતાના સેશન માં ડિપ્રેશન વાળા દરદી ઓ ને અમુક વાક્યો વારંવાર રિપીટ કરીને બોલવાની સલાહ આપતા હોય છે.  ઉદાહરણ તરીકે  - "હું પરીક્ષા માં પાસ થઇ જઈશ" , "મારુ દેવું ચૂકતે થઇ જશે". . દરદી ના અજ્ઞાત મન માં આ ભય પેસી ગયો હોય છે તેને દૂર કરવા આવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.  

આપણું મન માત્ર  માનસિક અસ્વસ્થતા જ નહીં પણ શારીરિક અસ્વસ્થતા દૂર કરવામાં પણ મદદ કરે છે.  ઉપર કહ્યું એમ મન માં તાવ નો ડર  હોય તો તાવ આવી જ જસય એવી જ રીતે મન થી મક્કમ હોય કે મને  કશું નહીં થાય તો ગમે તેવી વિપરીત  પરિસ્થિતિ માં પણ  આપણે સ્વસ્થ રહીયે છીએ.  તમે નિરીક્ષણ કરજો કે ઘર માં લગ્ન પ્રસંગ હોય ત્યારે વર કન્યા અને ઘર ના લોકો ક્યારેય  માંદા પડતા નથી.   ખરેખર એ દિવસો માં શારીરિક કામ અને માનસિક થાક અતિશય હોય છે છતાં એમને કઈ થતું નથી કારણ કે એમનું અચેતન મન પ્રસંગ ઉકેલવા એકદમ સજ્જ હોય છે.  એવી જ રીતે આપણા સૈનિકો યુદ્ધ દરમિટન અકલ્પનિય શૌર્ય બતાવે છે.  એનું કારણ એ છે કે એમણે નક્કી કરેલું હોય છે કે મારે પાછા પડવું નથી.  એટલે એમનું શરીર એને એ રીતે સાથ આપે છે.  

આપણને એવો પ્રશ્ન થાય કે આપણું મન આપણા શરીર ને કંટ્રોલ કરે ત્યાં સુધી તો સમજાય પણ બીજા બહાર ના તત્વો ઉપર કેવી રીતે કંટ્રોલ થાય.  તો તમે યાદ કરો કે એવું બન્યું હોય કે તમે કોઈને યાદ કરતા હોવ અને એનો સામેથી ફોન આવ્યો હોય.  કે તમને કોઈ વસ્તુ ખાવાની અદમ્ય ઈચ્છા હોય ને તમારી પત્ની એ એ જ વસ્તુ ઘરે બનાવી હોય. શું તમારી સાથે આવા સંયોગો નથી બન્યા ? બનતા જ હોય છે.  એક પ્રસિદ્ધ ફિલ્મ નો પ્રસિદ્ધ ડાયલોગ છે - જબ કિસી કો પુરી શિદ્દત સે પાને કી કોશિશ કરતે હો તો પુરી કાયનાત ઉસે મિલાને મેં તુમ્હારી મદદ કરતી હે. - એટલે તમે સતત જે વસ્તુ ને પામવા સ્મરણ કરો છો એના માટે તમારું અચેતન મન એના તરંગો બહાર  મોકલતું રહે છે સમજો કે બ્રોડકાસ્ટ કરે છે.  એ બીજા લોકો સુધી એ પહોંચે છે અને એ રીતે તમારી ઈચ્છા પુરી થાય છે.  

તો ટૂંકમાં તમે તમારું ધારેલું કામ કરવા માટે એના વિશે સતત વિચારતા રહો અને જાગૃત મન માં કોઈ નેગેટિવ વિચાર આવવા ન દો તો તમારી ઈચ્છા પુરી થાય જ છે.  આપણે બે જ કામ કરવાના છે.  અચેતન મન સુધી સારા પોઝિટિવ વિચારો સતત મોકલતા રહેવાનું એટલે કે સારા વિચારો કરવાના.  અને બીજું કામ નેગેટિવ વિચારો જાગૃત મન માંથી બહાર કાઢી નાખવાના.  કોઈ પણ નકારાત્મક વિચાર શરુ થાય એટલે તરત જ વિચાર અટકાવી ને બીજું કૈક વિચારવાનું શરુ કરી દેવાનું.  મન માં ઊંડે ઊંડે પણ નકારાત્મક વિચાર રહેવો જ ન જોઇયે. જો આટલું કરી શકીયે તો આપણું મન ચમત્કારો ની હારમાળા સર્જી શકશે. 






Thursday, 16 February 2023

ઘણા રોગો ને દૂર ભગાડતો યોગ

 યોગ 


આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જ્યારથી ભારતીય  યોગ ને મહત્વ આપીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે મનાવવા અપીલ કરી ત્યારથી દુનિયાભર માં અને ભારત માં પણ યોગ નો ઘણો પ્રચાર થયો છે.  

યોગ ને ઘણા લોકો એક પ્રકાર ની કસરત સમજે છેપરંતુ સાચું નથીકસરત માત્ર સ્નાયુ અને હાડકા ને અસર કરતી હોય છે જયારે યોગ એટલે કે યોગાસન આપણા શરીર ના દરેક અવયવ ને અસર કરે છેયોગાસન એક ક્રિયા છેતેનાથી આપણા શરીર ના અંદર અને બહાર ના બધા અવયવો ને તમે ક્રિયાન્વિત કરો છોશ્વાસ ઉચ્છવાસ ના યોગ આપણા ફેફસા , શ્વસનતંત્ર અને શ્વાસનળી ને સીધી અસર કરે છેમેડિકલ સાયન્સ ઓક્સિજન ને શરીર માં પહોંચાડવા નળીઓ જેવા બાહ્ય સાધનો નો ઉપયોગ કરે છે કામ આપણે યોગ દ્વારા સીધું કરી શકીયે છીએ.  

અનુલોમ વિલોમ , કપાલ ભાતી , ભ્રમરી જેવા યોગાસન સાવ સહેલા હોવા છતાં બહુ અસરકારક છેતે આપણા શરીર માં રહેલા વાયુ ને ચોક્કસ દિશા માં વહાવી ને કાર્ય કરે છેસમજો કે જેવી રીતે આપણા ઘર માં ડ્રેનેજ માટે ના પાઇપ ની આપણે રેગ્યુલર સફાઈ કરીયે એવી રીતે અનુલોમ વિલોમ અને કપાલ ભાતી , ભ્રમરી જેવા યોગાસન પણ આપણી શ્વાસનળી અને કાન ની નલિકા ની હવા ના પ્રેસર થી સફાઈ કરે છેએમ તો પેટ ના વાયુ નો પ્રોબ્લેમ અત્યારે ઘરે ઘરે જોવા મળે છેએના માટે વજ્રાસન અને વાયુમુક્તાસન જેવા યોગાસન ખુબ ઉપયોગી છેમારા કેટલાક મિત્રો જમ્યા બાદ રોજ  વજ્રાસન માં બેસે છે તેનાથી તેમને પેટ ની તકલીફો માં ઘણી રાહત મળે છેમારી નાનકડી દીકરી ને પણ ક્યારેક વધારે પડતું જમાય ગયું હોય તો અમે એને વજ્રાસન માં બેસાડી ને એનું પાચન કરાવીએ છીએ.  

શરીર ના બધા અંગો માટે કોઈક ને કોઈક યોગાસન આવેલા છેયોગ્ય માર્ગદર્શન હેઠળ કરવામાં આવે તો રોગ ને દૂર ભગાડી શકાય છે અને જો નિયમિત રીતે યોગાસન કરવામાં આવે તો રોગ થવા માં થી બચી શકાય છે.  

આપણા પ્રધાનમંત્રી મોદીજી એનું જીવતું જાગતું ઉદાહરણ છેતેઓ ગુજરાત માં હતા ત્યારથી આટલા વર્ષો માં ક્યારેય આપણે એમને રજા લેતા જોયા નથીકે ક્યારેય થાકેલા પાકેલા અને બીમાર જોયા નથીતેઓ હંમેશ વહેલી સવારે બ્રહ્મમુહૂર્ત માં ઉઠીને યોગાસન કરે છેબ્રહ્મમુહૂર્ત એટલે સવારે લગભગ સાડા ત્રણ વાગ્યા ની આસપાસ નો સમયમોટા સંતો અને યોગીઓ મુહૂર્ત માં ઉઠીને યોગ , ધ્યાન અને સાધના કરતા હોય છેકેટલાક યોગાસન કરવા માટે પણ સમયગાળો નિશ્ચિત હોય છેજેમકે કેટલાક યોગાસન ખાલી પેટ વહેલી સવારે કરી શકાય અને કેટલાક સાંજે કે રાત્રે સૂતી વખતે કરવાથી વધુ લાભ આપે એવા હોય છે.  

ભારત ના સાધુ સંતો હજારો વર્ષો થી યોગાસન કરતા આવ્યા છેહિમાલય ની કડકડતી ઠંડી માં અને ગિરનાર ની અંધારી ગુફાઓ માં તેઓ યોગ સાધના ના આધારે જીવી રહ્યા છે. ભારત માં યોગ નો પ્રચાર કરનારા રામદેવજી પણ સાધુ હતા.   એટલે શરૂઆત માં લોકો યોગ ને માત્ર હિન્દૂ ધર્મ નો એક ભાગ સમજતા હતાઅને હિન્દૂ સિવાય ના ધર્મ ના લોકો એમાં રસ લેતા હતા  પરંતુ એકવીસમી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર થયા બાદ આખી દુનિયા માં તેનો પ્રચાર થયો અને બધા લોકો યોગાસન ને સમજવા લાગ્યા અને અનુસરવા લાગ્યા એટલે લોકો માં તેના વિશે ખોટો ભ્રમ દૂર થયો અને બધા ધર્મ ના લોકો તેને અપનાવી લીધોબાંગ્લાદેશ  અને પાકિસ્તાન જેવા કટ્ટર મુસ્લિમ દેશો ના લોકો પણ હવે બહોળા પ્રમાણ માં યોગ કરવા લાગ્યા છે.  

યોગાસન આપણા દૈનિક વ્યવહાર નો એક ભાગ બનાવીને અપનાવવા માં આવે તો નિરોગી રહેવામાં ખુબ મોટા પાયે મદદ મળી રહે છે.   




Tuesday, 14 February 2023

વેલેન્ટાઈન ડે - અભી ઉમર નહીં હે પ્યાર કી

 વેલેન્ટાઈન ડે - અભી ઉમર નહીં હે પ્યાર કી 


મિત્તલબેન ના લગ્ન ને તો અઢાર વર્ષ થઇ ગયા અને એમના સમય માં વેલેન્ટાઈન ડે નું આજ ના જેટલું ચલણ n હતું એટલે એમને પતિ પત્ની ને વેલેન્ટાઈન ડે નું ખાસ કોઈ મહત્વ હતું પણ વર્ષે એમની ટીનેજર દીકરી વેલેન્ટાઈન ડે ના અઠવાડિયા અગાઉ થી જુદા જુદા ડે  ની ઉજવણી  કરતી  હતી  તે જોઈને એમને ચિંતા  થવા લાગી કે  પંદર વર્ષ ની નાની ઉંમરે એમની દીકરી  ક્યાંક ચક્કર માં  તો  નથી પડીને. એમણે દીકરી ને પૂછ્યું પણ ખરું તો એણે કહ્યું કે કોઈ છોકરા નું ચક્કર નથી અમે બસ બેનપણીઓ સેલિબ્રેટ કરીયે છીએઆમ તો મિત્તલબેન ને એમની દીકરી ઉપર પૂરો ભરોસો છે પણ જમાના પ્રમાણે ડર પણ લાગે કે દીકરી ભણવાનું મૂકીને ક્યાંક બીજે ફસાઈ જાય.  

હાલ ના સંજોગો જોતા મિત્તલબેન અને એમના જેવા ઘણા મા બાપ ને ડર લાગે છેઅમુક માં બાપ હાઈ સોસાયટી ના ભ્રમ માં આંખ આડા કાન કરે છેઅને કેટલાક મા બાપ ખરેખર બધી બાબતો થી સાવ અજાણ હોય છેપણ મિત્તલબેન જેવા માતા પિતા ની હાલત ચિંતાજનક હોય છે જે લોકો બધું જાણે છે અને પોતાના બાળકો ને ભણાવવા માટે સ્કૂલ , કોલેજ , ક્લાસીસ બધે મોકલવા પણ પડે છેઅને સાથે ગેર  માર્ગે  દોરવાઈ    જાય  એની  ચિંતા પણ રહે  છેઆપણે ત્યાં છેલ્લા કેટલાક સમય થી  વેલેન્ટાઈન  ડે  નો  વિરોધ  પણ થઇ રહ્યો  છેકેટલાક  સંગઠનો  દિવસ ને માતાપિતા પૂજન દિવસ  તરીકે  ઉજવવાની  સલાહ  આપી  રહ્યા  છેહું  અંગત  રીતે  એવું  માનુ  છુ  કે  વેલેન્ટાઈન  ડે  નો વિરોધ કરવા નો કોઈ અર્થ નથીઆપણે ભારતીય લોકો ઉત્સવ પ્રિય પ્રજા છીએ. એટલે એક બીજા રાજ્ય અને ધર્મો ના તહેવારો ઉજવીયે છીએ એવી રીતે વિદેશ ના તહેવારો ઉજવવા પણ હરખુડા થઈએ  છીએઅહીં મુખ્ય પ્રોબ્લેમ તહેવાર નો નથી પણ તહેવાર ના બહાને જે વ્યભિચાર ને ઉત્તેજન મળે છે વાંધાજનક છે.  

નવરાત્રી તો આપણો સાંસ્કૃતિક અને ધાર્મિક તહેવાર છેછેલ્લા બે ચાર દાયકા માં એનું જે રીતે આધુનિકીકરણ થયું એનાથી આજ વ્યભિચાર નું દુષણ નવરાત્રી માં પણ ફુલ્યું હતુંછેવટે રાતે 12 વાગ્યા ના સમય ની બંધી અને માં બાપ ની જાગૃતતા અસર કરી અને હવે બાબત માં ઘણો મોટો ફરક આવ્યો છેતો ખરી વાત છે કે વેલેન્ટાઈન ડે ની જાહેર ઉજવણી કદાચ કોઈ રોકી શકે પરંતુ ખાનગી ઉજવણી ઉપર કોઈ કંટ્રોલ થઇ શકેઅને ખરું જોતા વયસ્ક યુવાનો જો ઈચ્છે તો ઉજવણી કરી શકતા હોવા જોઈએમુખ્ય ચિંતા નાની વયના કિશોર બાળકો ને રવાડે ચડતા અટકાવવાની છેપશ્ચિમ ના દેશો માં પંદર વર્ષ ના બાળકો ડેટિંગ શરુ કરી દે છે અને જાતે કમાવા નું પણ શરુ કરી દે છે જયારે આપણા દેશ માં વીસ  બાવીસ વર્ષ સુધી માં બાપ બાળકો નો બોજો ઉપાડે છેઅને આપણે ત્યાં ભણવાનું પૂરું થાય નોકરી શરુ થાય પછી લગ્ન ની બાબત માં વિચારવામાં આવે છેએટલે આપણા સંતાનો સારું ભણે માટે માતા પિતા ખુબ કાળજી લેતા હોય છેઘણા માં બાપ ખુબ સંઘર્ષ પણ કરતા હોય છેઆવા સંજોગો માં જો એમના બાળકો ભણવા ના સમયે બાલિશ પ્રેમ જેવી લાગણી માં તણાઈ જાય અને પોતાની કેરિયર નું નુકસાન કરી બેસે કોઈપણ માં બાપ સહન કરી શકે.  

વીસ બાવીસ વર્ષ ની ઉંમરે પહોંચ્યા પછી , ભણતર પૂરું થયા પછી કોઈ યુવાન પ્રેમ સંબંધ માં બંધાય છે તો પરિપક્વ હોઈ શકેએને આપણે અણસમજુ   કહી શકીયેઅને અત્યારે જો અવલોકન કરવામાં આવે તો જોઈ શકાશે કે સાથે નોકરી વ્યવસાય કરતા યુવાનો ના સંબંધો માં મેચ્યોરિટી ઘણી હોય છે લોકો દિવાસ્વપ્ન નથી જોતામોટે ભાગે બધા પગલાં સમજી વિચારીને લેવા  વાળા  હશેપરંતુ પંદર સોળ વર્ષ ના કિશોર બિલકુલ કાચા ઘડા જેવા કહેવાય એમની ઉમર શિક્ષણ મેળવવાની છેપ્રેમ માં પાડવાની નહિ વાત આપણે માતા પિતા આપણા સંતાનો ને સમજાવવાની છેઆપણા ગ્રંથો જીવન ને ચાર ભાગ માં વહેચ્યું છે. દરેક ભાગ પચીસ વર્ષ નોએમાં પ્રથમ પચીસ વર્ષ  બ્રહ્મચર્યાશ્રમ એટલે શિક્ષણ મેળવવાના છે. અને બીજા પચીસ એટલે કે પચીસ થી પચાસ વર્ષ ગૃહસ્થાશ્રમ ના છેએટલે પ્રથમ પચીસ વર્ષ સુધી શિક્ષણ મેળવવાનું અને કેરિયર બનાવવાનીત્યાર પછી ગૃહસ્થી વિશે વિચારવાનુંજો પંદર સત્તર જેટલી નાની ઉંમરે પ્રેમ ની લાગણી માં વીંટાઈ જાય તો એમાંથી શારીરિક સંબંધ તરફ આગળ વધતા વાર નથી લાગતી. અને ખરી મુસીબત ત્યાર પછી શરુ થાય છે બધા સંવેગો નો નશો મગજ ઉપર એટલો હાવી થઇ જાય છે કે બાળકો ભાન ભૂલી જાય. એમનું ભણવાનું મૂકી ને લોકો જીવન નું લક્ષ્ય ભૂલી જાય છેપ્રાચીન કાળ માં ગામ થી દૂર ગુરુકુલો માં રહીને ભણવાનું હતુંજેથી આવા કોઈ અવરોધો વિદ્યાર્થી ને અટકાવી શકેપણ આજે શક્ય નથીહોસ્ટેલ માં મુકવાથી પણ ચિંતા મુક્ત થવાતું નથીએટલે સીધો રસ્તો એકમાત્ર છે કે આપણે ખુદ આપણા સંતાનો ને સમજાવવું પડે કે નાની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ માં એણે રસ લેવો જોઈએ નહીં સમજણ જો આપણે એમને આપી શકીયે તો પછી વેલેન્ટાઈન ડે હોય કે હોય તમારા બાળકો ને ખરાબ અસર નહીં કરી શકે માટે આપણે પેરેન્ટ્સ બાબત માં સ્પષ્ટ હોવા જોઈએ અને બાળકો ઉપર આપણું સતત નિરીક્ષણ પણ રાખવું જોઈશે.