બુનિયાદ ડેઇલી 23-2-23
અચેતન મન તમારો જાદુઈ ચિરાગ
કેટલાક માણસો ને જોઈને તમને ક્યારેય એવું લાગ્યું છે કે આ માણસ નું ધાર્યું બધું જ થાય છે ? અને કેટલાક એવા હોય છે જેનું ધાર્યું ક્યારેય ન થાય. આપણી આસપાસ માં કેટલાય વ્યક્તિઓ ને આપણે મળતા હોઈએ છીએ જેમાંથી કેટલાક હસમુખ , ખુશમિજાજ અને પોઝિટિવ તરંગો વાળા જણાય છે અને એ લોકો પાસે જાણે જાદુઈ ચિરાગ હોય એમ એ જે ઈચ્છે એ બધું જ પાર પડતું હોય છે. જયારે કેટલાક લોગો સોગિયા લાગે છે જેમને મળવાથી આપણને આનંદ આવતો નથી. અને ઉલ્ટાનું એ લોકો ના પોતાના કામ પણ નથી થતા અને એમની હાજરી થી બીજાના કામ પણ બગડતા હોય છે. આ બંને બિલકુલ છેડા ના વ્યક્તિ ઓ છે. આપણે બધા આ બે માંથી જ એક નથી હોતા. આપણા માં થોડું નેગેટિવ અને થોડું પોઝિટિવ એમ બંને તત્વો રહેલા હોય છે.
આ પોઝિટિવિટી અને નેગેટિવિટી આપણા મન ની ઉપજ હોય છે. આપણું મન પણ બે ભાગ માં વહેચાયેલું હોય છે - જાગૃત મન અને અજાગૃત કે અચેતન મન. મોટાભાગ ના આપણે માત્ર જાગૃત મન ને જ ઓળખાતા હોઈએ છીએ. આપણા માટે મન એટલે આપણને જે વિચાર આવે છે , જે લાગણી થાય છે એ. આપણે આપણા કામ કરવા માટે આ આપણા મન ને આદેશ આપીયે છીએ. એટલે કે મન ને તૈયાર કરીયે છીએ. હવે ખરી રમત અહીં જ શરૂ થાય છે. આપણે આપણા અચેતન મન ને જાણતા નથી. એટલે કે એના અસ્તિત્વ ને જાણતા નથી. પણ ખરી રીતે કોઈ કાર્ય કરવા માટે આપણે જે પ્લાન નક્કી કરીયે છીએ એ આપણું અચેતન મન રિસીવ કરે છે. એટલે કે આપણું અચેતન - અજાગૃત મન આપણે આપણા જાગૃત મન ને આપેલા આદેશ થકી આપણો આદેશ મેળવતું રહે છે. અને પછી એ અચેતન મન તે કાર્ય કરવા માટે આપણા શરીર ને તૈયાર કરે છે સમજો કે આપણા શરીર ના અંગો ને જે તે કાર્ય કરવા માટે આદેશ આપે છે. આ વાત થી આપણું જાગૃત મન બિલકુલ અજાણ હોય છે. અને એટલે આપણે પોતે પણ અજાણ જ હોઈએ છીએ. પણ છતાં કેટલીક ઘટના ઓ બને છે જે આપણને આશ્ચર્યચકિત કરી દે છે.
એક નાનકડું રોજીંદુ ઉદાહરણ આપું જેનો અનુભવ લગભગ બધા એ કર્યો હશે. આપણે ક્યાંક બહાર જવાનું હોય અથવા વહેલી સવારે કોઈ કામ કરવાનું હોય ત્યારે રાતે સૂતી વખતે મન માં સતત એના વિચારો આવે છે કે સવારે ચાર વાગે ઉઠવાનું છે. આપણે એના માટે એલાર્મ પણ સેટ કરીયે છીએ અને છતાં એલાર્મ વાગે એની પહેલા આપણે ઉઠી જઇયે છીએ. રોજબરોજ ના જીવન માં આ બનતું રહેતું હોય છે અને આપણે એમ સમજીયે છીએ કે આ આપણો અજંપો છે. ખરેખર એ આપણું અચેતન મન છે જે આપણા મસ્તિષ્ક ને ઉઠવા નો આદેશ આપે છે. આવી જ રીતે ક્યારેક એવો અનુભવ થયો હશે કે આપણને એવો ડર લાગે કે અમુક સમયે મને તાવ આવી જશે કે શરદી થઇ જશે. તો ખરેખર તાવ આવી જાય છે. આપણું જાગૃત મન એવું છે જે દલીલ કરી શકે છે , શંકા કરી શકે છે. પરંતુ અચેતન મન દલીલ નથી કરતુ. શંકા પણ નથી કરતુ. એના માટે નૈતિકતા , નિયમો , ન્યાય એવું કશું જ નથી હોતું. એમ સમજો કે એ એક મિકેનિકલ મશીન છે. એની સામે જે વાક્ય બોલવામાં આવે છે એને એ આદેશ માની લે છે અને પછી એનો અમલ કરી નાખે છે. એ કોઈ દલીલ નથી કરતુ કોઈ શંકા નથી ઉઠાવતું.
જે દલીલ કરે છે , શંકા કરે છે એ આપણું જાગૃત મન છે. આપણા મન ના વિચારો અને ઈચ્છાઓ બધું જાગૃત મન પાસે થઇ ને અજાગૃત મન સુધી પહોંચે છે. જે વિચાર ઉપર કંટ્રોલ નથી કરી શકતા એ વિચાર કે એ ઈચ્છા અચેતન મન સુધી પહોંચી જાય છે. અને વારંવાર એનું સ્મરણ કરવામાં આવે એટલે અચેતન મન ને એનો આદેશ મળી જાય છે. અને પછી એ અમલ માં મૂકે છે.
થોડા દિવસો પહેલા પ્રાર્થના ઉપર ના મારા આર્ટિકલ માં મેં આ બાબત નો ઉલ્લેખ કરેલો કે રોજેરોજ ભગવાન ને પ્રાર્થના કરવાથી આપણું અજાગૃત મન ઈશ્વર પ્રત્યે આશ્વશ્ત થઇ જાય છે. આજ બાબત બધી જ વસ્તુઓ ને લાગુ પડે છે. આપણે મન થી જે બાબતો સ્વીકારી લઈએ એ બાબતો ખરેખર બની ને રહે છે. મોટિવેશનલ સ્પીકરો અને સાઇકિયાટ્રિસ્ટ પોતાના સેશન માં ડિપ્રેશન વાળા દરદી ઓ ને અમુક વાક્યો વારંવાર રિપીટ કરીને બોલવાની સલાહ આપતા હોય છે. ઉદાહરણ તરીકે - "હું પરીક્ષા માં પાસ થઇ જઈશ" , "મારુ દેવું ચૂકતે થઇ જશે". . દરદી ના અજ્ઞાત મન માં આ ભય પેસી ગયો હોય છે તેને દૂર કરવા આવી ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
આપણું મન માત્ર માનસિક અસ્વસ્થતા જ નહીં પણ શારીરિક અસ્વસ્થતા દૂર કરવામાં પણ મદદ કરે છે. ઉપર કહ્યું એમ મન માં તાવ નો ડર હોય તો તાવ આવી જ જસય એવી જ રીતે મન થી મક્કમ હોય કે મને કશું નહીં થાય તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ માં પણ આપણે સ્વસ્થ રહીયે છીએ. તમે નિરીક્ષણ કરજો કે ઘર માં લગ્ન પ્રસંગ હોય ત્યારે વર કન્યા અને ઘર ના લોકો ક્યારેય માંદા પડતા નથી. ખરેખર એ દિવસો માં શારીરિક કામ અને માનસિક થાક અતિશય હોય છે છતાં એમને કઈ થતું નથી કારણ કે એમનું અચેતન મન પ્રસંગ ઉકેલવા એકદમ સજ્જ હોય છે. એવી જ રીતે આપણા સૈનિકો યુદ્ધ દરમિટન અકલ્પનિય શૌર્ય બતાવે છે. એનું કારણ એ છે કે એમણે નક્કી કરેલું હોય છે કે મારે પાછા પડવું નથી. એટલે એમનું શરીર એને એ રીતે સાથ આપે છે.
આપણને એવો પ્રશ્ન થાય કે આપણું મન આપણા શરીર ને કંટ્રોલ કરે ત્યાં સુધી તો સમજાય પણ બીજા બહાર ના તત્વો ઉપર કેવી રીતે કંટ્રોલ થાય. તો તમે યાદ કરો કે એવું બન્યું હોય કે તમે કોઈને યાદ કરતા હોવ અને એનો સામેથી ફોન આવ્યો હોય. કે તમને કોઈ વસ્તુ ખાવાની અદમ્ય ઈચ્છા હોય ને તમારી પત્ની એ એ જ વસ્તુ ઘરે બનાવી હોય. શું તમારી સાથે આવા સંયોગો નથી બન્યા ? બનતા જ હોય છે. એક પ્રસિદ્ધ ફિલ્મ નો પ્રસિદ્ધ ડાયલોગ છે - જબ કિસી કો પુરી શિદ્દત સે પાને કી કોશિશ કરતે હો તો પુરી કાયનાત ઉસે મિલાને મેં તુમ્હારી મદદ કરતી હે. - એટલે તમે સતત જે વસ્તુ ને પામવા સ્મરણ કરો છો એના માટે તમારું અચેતન મન એના તરંગો બહાર મોકલતું રહે છે સમજો કે બ્રોડકાસ્ટ કરે છે. એ બીજા લોકો સુધી એ પહોંચે છે અને એ રીતે તમારી ઈચ્છા પુરી થાય છે.
તો ટૂંકમાં તમે તમારું ધારેલું કામ કરવા માટે એના વિશે સતત વિચારતા રહો અને જાગૃત મન માં કોઈ નેગેટિવ વિચાર આવવા ન દો તો તમારી ઈચ્છા પુરી થાય જ છે. આપણે બે જ કામ કરવાના છે. અચેતન મન સુધી સારા પોઝિટિવ વિચારો સતત મોકલતા રહેવાનું એટલે કે સારા વિચારો કરવાના. અને બીજું કામ નેગેટિવ વિચારો જાગૃત મન માંથી બહાર કાઢી નાખવાના. કોઈ પણ નકારાત્મક વિચાર શરુ થાય એટલે તરત જ વિચાર અટકાવી ને બીજું કૈક વિચારવાનું શરુ કરી દેવાનું. મન માં ઊંડે ઊંડે પણ નકારાત્મક વિચાર રહેવો જ ન જોઇયે. જો આટલું કરી શકીયે તો આપણું મન ચમત્કારો ની હારમાળા સર્જી શકશે.


